Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉના પોલીસને સોંપવાની તજવીજઃ
જામનગર તા. ૨૭: ગિર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ મથકમાં ૨૫ વર્ષ પહેલાં નોંધાયેલા મારામારીના એક ગુન્હામાં સંડોવાયા પછી નાસી ગયેલા જામનગરના શખ્સને પકડી લેવાયો છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારથી વુલન મીલ રોડ પર ફાટક પાસે રહેતા મંગાભાઈ લાખાભાઈ પરમાર નામના શખ્સ સામે વર્ષ ૧૯૯૯માં ઉનાના પોલીસ સ્ટેશનમાં મારામારીનો એક ગુન્હો નોંધાયો હતો. ત્યારથી આ આરોપી નાસી ગયો હતો.
ઉપરોક્ત આરોપી દિગ્જામ સર્કલ પાસે રેલવે ટ્રેક નજીક આવ્યો હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફે આ શખ્સને દબોચી લીધો છે. તેનો કબજો ઉના પોલીસને સોંપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial