Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાકીના સાત આરોપીની સઘન શોધખોળઃ
જામનગર તા. ૨૭: જામનગરના બેડીમાં એડવોકેટની કરવામાં આવેલી હત્યાના પંદર આરોપીમાંથી વધુ બે આરોપીને ગઈકાલે તપાસનીશ પોલીસ ટીમે દબોચી લીધા હતા. બંને શખ્સને અદાલતે સાત-સાત દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને એક શિક્ષિકાની આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગેનો કેસ લડી રહેલા એડવોકેટ હારૂનભાઈ કે. પલેજાની ગઈ તા.૧૩ની સાંજે બેડી વિસ્તારમાં જ કરપીણ હત્યા કરવામાં આવી હતી. એડવોકેટના ભત્રીજા અને નગરસેવક નુરમામદ પલેજાએ પોલીસમાં સાયચા ગેંગના ૧૫ શખ્સ સામે ફરિયાદ કરી હતી.
તે ગુન્હામાં આરોપીઓની ધરપકડ માટે પોલીસ દ્વારા ગતિમાન કરાયેલા ચક્રો દરમિયાન ગઈકાલે ઈમરાન નુરમામદ સાયચા તથા રમઝાન સલીમ સાયચા નામના બે શખ્સને પકડી લેવાયા હતા. આ શખ્સોને ગઈકાલે સાંજે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ શખ્સો પાસેથી અન્ય આરોપીઓના સગડ મેળવવાના હોય અને હત્યામાં વપરાયેલા હથિયાર સહિતની રીકવરી બાકી હોવાની રજૂઆત અદાલત સમક્ષ કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખીને અદાલતે બંને આરોપીના સાત-સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસનીશ પીઆઈ તથા સ્ટાફના મુકેશસિંહ રાણા સહિતની પોલીસ ટૂકડીએ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial