Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકની ઓળખ આપવા પોલીસ દ્વારા અનુરોધઃ
જામનગર તા. ૨૭: જામનગરના ત્રણ દરવાજા પાસે પોટરીવાળી ગલીમાં ગઈકાલે એક વૃદ્ધ બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા પછી આ વૃદ્ધનું બીમારીના કારણે મૃત્યુ થયાનું જાહેર થયું છે. પોલીસે મૃતકની ઓળખ આપવા જાહેર જનતાને અનુરોધ કર્યાે છે.
જામનગરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી પોટરીવાળી ગલીમાં ગઈકાલે બપોરે એક વૃદ્ધ બેશુદ્ધ જેવી હાલતમાં પડ્યા હોવાની કોઈએ સામાજિક કાર્યકર હિતેશગીરી ગોસાઈને જાણ કરતા તેઓએ આ વૃદ્ધને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ કરી હતી.
આ વૃદ્ધ કોઈ બીમારીના કારણે મૃત્યુ પામ્યા હોવાનું જણાઈ આવતા હિતેશગીરીએ પોલીસને વાકેફ કરી છે. અંદાજે ૮૦ વર્ષની વયના લાગતા મૃતકના કોઈ વારસ મળ્યા નથી પીએસઆઈ આર.પી. અસારીએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકની ઓળખ આપવા અનુરોધ કર્યાે છે.
ઉપરોક્ત તસ્વીરવાળા મૃતક શ્યામવર્ણ, પાતળો બાંધો ધરાવતા હતા. તેમના શરીર પર સફેદ શર્ટ ધારણ કરેલો હતો. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોન ૦૨૮૮-૨૫૫૦૨૪૪નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial