Advertisement
Author: નોબત સમાચાર

એડવોકેટની હત્યામાં ઝડપાયેલા સાયચા ગેંગના છની પૂછપરછ

એક સપ્તાહમાં બાકીના આરોપીઓને પકડી લેવાશેઃ એસપી

જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂનભાઈ પલેજાની નિપજાવવામાં આવેલી કરપીણ હત્યાના આઠ આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. જેમાંથી કાયદાથી સંઘર્ષિત બે કિશોરને બાળસુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે, બાકીના છ આરોપીને આજે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પત્રકારો સમક્ષ રજૂ કરી જણાવ્યું હતું કે, આરોપીઓને પકડી પાડવા માટે ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ ખાસ ટૂકડીની રચના કરાઈ હતી. જેમાં એલસીબી, એસઓજી, સિટી-બી ડિવિઝનનો પોલીસ કાફલો જોડાયો હતો. તેમાં આરોપીઓ ઝડપાઈ ગયા હતા. એસપીએ આગામી એક સપ્તાહમાં બાકીના તમામ આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ કરાઈ છે તેમ જણાવી આ શખ્સોને આશ્રય આપનાર વ્યક્તિઓને પણ છોડવામાં નહીં આવે તેમ ઉમેર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh