Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈકને લાત મારી બંનેને પછાડ્યા પછી ધોકાવી નખાયાઃ
જામનગર તા. ૨૭: જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાંથી ગઈકાલે સાંજે બાઈક પર જતાં દાદા-પૌૈત્રને પાછળથી ત્રણ વાહનમાં ધસી આવેલા છ શખ્સે ધોકા, પાઈપ, લાકડીથી ધોકાવી નાખી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. ઈજા પામેલા બંને વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગર પાસે મંદિર પાછળ વસવાટ કરતા પિયુષભાઈ રમેશભાઈ ખરા તથા તેમના દાદા પૂનાભાઈ નાજાભાઈ ખરા ગઈકાલે સાંજે મામલતદાર કચેરીએથી પરત આવી રહ્યા હતા. તેઓ જ્યારે ઉદ્યોગનગર સ્થિત એસોસિએશનની ઓફિસ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી બુલેટ મોટરસાયકલ પર બ્રિજરાજસિંહ જેઠવા તથા એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા.
આ શખ્સોએ પૂનાભાઈ ખરા ચલાવી રહ્યા હતા તે બાઈકને લાત મારી દાદા-પૌત્રને પછાડી દીધા હતા. તે પછી એક્ટિવા અને હોન્ડા સાઈન મોટરસાયકલમાં અન્ય ચાર વ્યક્તિ ધસી આવ્યા હતા. છએય શખ્સોએ પાઈપ, ધોકા અને લાકડીથી હુમલો કરી દાદા-પૌત્રને માર માર્યાે હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા પિયુષ તથા તેના દાદા પૂનાભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી આજે સવારે પિયુષ ખરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે શંકરટેકરીવાળા બ્રિજરાજસિંહ તેમજ પાંચ અજાણ્યા શખ્સ સામે આઈપીસી તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે. પીએસઆઈ એન.પી. જોષીએ એસસી એસટી સેલના ડીવાય એસપીને બનાવથી વાકેફ કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial