Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના હરીપર પાસે એડવોકેટ પર મોટરમાં આવેલા શખ્સોએ કર્યાે હુમલો

જમીનની વારસાઈનો એડવોકેટ કર્યાે છે કેસઃ

જામનગર તા. ૨૭: લાલપુરના હરીપર ગામ પાસે ગઈકાલે એક એડવોકેટ પર ચારેય જેટલા શખ્સોએ ધોકા, પાઈપથી હુમલો કર્યાે હતો. હરીપરમાં આવેલી તેઓની જગ્યાના વેચાણના મામલે ચાલી રહેલા મનદુખ વચ્ચે તેમના પર હુમલો થયાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે કરેલા કેસ અંગે તેઓ ગઈકાલે લાલપુર આવ્યા હતા.

લાલ૫ુર તાલુકાના હરીપર ગામમાં જમીન ધરાવતા અને લાલપુરના વતની એડવોકેટ અનિલભાઈ પણસારા ગઈકાલે સાંજે પોતાની મોટરમાં હરીપર પાસે આવ્યા હતા.

આ જમીનના વેચાણ બાબતે તેઓને કેટલાક વ્યક્તિ સાથે વાંધો ઉભો થયા પછી ગઈકાલે સાંજે જ્યારે તેઓ હરીપર આવ્યા ત્યારે અન્ય વાહનોમાં ધસી આવેલા કેટલાક શખ્સોએ તેમના પર હલ્લો કર્યાે હતો. આ શખ્સોએ ધોકા, પાઈપથી અનિલભાઈને માર મારતા તેઓને સારવાર માટે જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા છે. આ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ કરવામાં આવી છે.

વકીલાતની પ્રેક્ટિસ કરતા અનિલભાઈએ તેમના વારસાઈ હક્કની જમીનમાં પેશકદમી થઈ હોવાની રજૂઆત સાથે લાલપુર કોર્ટમાં કેસ કર્યાે હતો. તેની તારીખે ગઈકાલે અનિલભાઈ આવ્યા હતા ત્યાંથી પોતાની જમીન પર આવતા મોટરમાં આવેલા કેટલાક શખ્સો તેમના પર તૂટી પડ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh