Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર બાયપાસ પાસે આઈઓસીની પાઈપલાઈનમાં ભંગાણઃ મોકડ્રીલ યોજાઈ

આઈઓસી તથા ફાયરબ્રિગેડની ટીમ ધસી ગઈઃ

જામનગર તા. ૨૭: જામનગરના લાલપુર બાયપાસ પાસેથી પસાર થતી સલાયા, મથુરા આઈઓસી પાઈપ લાઈનમાં લીકેજ થયું હોવાની વિગત આપવામાં આવતા વાડીનારથી આઈઓસીની ટીમ તથા જામનગરથી ફાયર બ્રિગેડની ટૂકડી ધસી ગઈ હતી. તે પછી આ કાર્યવાહી મોકડ્રીલના ભાગરૂપે કરવામાં આવી હોવાનું જાહેર કરાયું છે.

જામનગર નજીક લાલપુર બાયપાસ પરથી પસાર થતી આઈઓસીની સલાયા-મથુરા પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું હોવાની વિગતો વાડીનાર આઈઓસીને ગઈકાલે આપવામાં આવતા આઈઓસીની ટીમ જરૂરી સાધનો સાથે દોડી આવી હતી.

ત્યાં પાઈપલાઈનમાં થઈ રહેલા લીકેજને અટકાવવાની કામગીરી શરૂ કરવા માટે ટીમ દ્વારા ફાયરબ્રિગેડનો સહકાર માગવામાં આવતા જામનગરથી ફાયરબ્રિગેડની ટૂકડી પણ ધસી ગઈ હતી. તે પછી શરૂ કરાયેલી કામગીરી દરમિયાન આ કાર્યવાહી તંત્રોની સતર્કતા ચકાસવા માટે મોકડ્રીલ હોવાનું તંત્રવાહકોએ જાહેર કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh