Advertisement
Author: નોબત સમાચાર

એસ.ટી. મઝદુર સંઘના હોદ્દેદારોની વરણી

જામનગરના ત્રિમંદીરમાં સાધારણ સભા યોજાઈઃ

જામનગરના ત્રિમંદિર પરિસરમાં તાજેતરમાં એસ.ટી. મજદુર સંઘ જામનગર વિભાગની સાધારણ સભા વનદિપસિંહ મહિડાનાં અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ પટેલ, કા. પ્રમુખ જગદિશભાઈ પટેલ, એડી. મહામંત્રી ઉમેશભાઈ બગથરીયા, જામનગર વિભાગનાં પ્રભારી ચંદુભાઈ, પ્રદેશ મંત્રી રાજદિપસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં ચૂંટણી અધિકારી તરીકે જગદિશભાઈ દ્વારા નવી ટીમની વરણી જાહેર કરવામાં આવી હતી. તેમાં પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ વાળા, મહામંત્રી સંજય ડોડીયા, કા. પ્રમુખ ભીમસીભાઈ ચાવડા, ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા અને અજયસિંહ ગોહિલ, સહમંત્રી હિતેષ ગઢવી અને મુળજીભાઈ ચાંડપા, કોષાધ્યક્ષ નરેશભાઈ ઠાકર, પ્રદેશ ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ જોષીની નિમણૂકને જામનગર વિભાગના આગેવાનોએ આવકારી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh