Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાર દબાણકારોને નોટીસ પણ અપાઈ હતીઃ મ્યુનિ. કમિશ્નર-એસ.પી. એ ગઈકાલે નિરીક્ષણ પણ કર્યુ હતું
જામનગર તા. રરઃ જામનગરમાં સુભાષબ્રીજ નીચે નદીના પટમાં- બચુનગર વિસ્તારમાં થયેલા ૧૨ જેટલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે મહાનગર પાલિકા દ્વારા આજે ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
જામનગરના નદીના પટમાં અને બચુનગરમાં અનેક નાના-મોટા બને કાચા-પાકા ગેરકાયદે બાંધકામના દબાણ કરવામાં આવ્યા છે. પરિણામે નદીના વહેણને અવરોધ થતા શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જાય છે. આ બાબતે વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી હતી. દરમિયાન તાજેતરમાં બચુનગર, નદીના પટમાં આવેલા ૧૨ ગેરકાયદે બાંધકામ ધારકોને મહાનગર પાલિકા દ્વારા નોટીસ પણ આપવામાં આવી હતી. અને ગઈ સાંજે જ મ્યુનિ. કમિશ્નર અને એસ.પી.એ પણ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. આ પછી આજ સવારથી પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ૬ રહેણાંક મકાનો તથા ૬ ધંધાકિય દબાણોના બાંધકામ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે.
આ વિસ્તારમાં કુલ ૯૮ હજાર ફુટ જગ્યા ખુલ્લી કરાવાઈ છે. આ પાડતોડ કામગીરી માટે ચાર જે.સી.બી.ની મદદ લેવામાં આવી હતી. ઉપરાંત ૨૦ માણસોને કામે લગાવાયા હતાં.
દિવસભર ચાલનારી આ કામગીરીમાં સાંજ સુધીમાં ઓપરેશન ડિમોલીશનની કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે. આ ડિમોલીશન કામગીરી સમયે એસ.પી. પ્રેમસુખ ડેલુ ખુદ હાજર રહ્યા હતાં. ઉપરાંત મહાનગર પાલિકાના અધિકારી એન.આર. દિક્ષીત અને સુનિલ ભાનુશાળી, પો.ઈ. બી.એન. ચૌધરી અને એન.એ. ચાવડા સહિતનો વિશાળ સ્ટાફ જોડાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial