Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના યુવા કથાકાર વિરલભાઈ નાકરને સનાતન ગૌરવ પુરસ્કાર એનાયત

ઉજ્જૈનમાં યોજાયેલ ર્માં શારદા જયોતિષ અનુસંધાન સંસ્થાન દ્વારા

જામનગર તા. ૨૨: જામનગરના સામાજિક કાર્યકર અને યુવા કથાકાર શાસ્ત્રીજી વિરલભાઈ નાકરને ઉજ્જૈનમાં શારદા જયોતિષ અનુસંધાન સંસ્થાન દ્વારા સનાતન ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ કોન્ફરન્સમાં દેશ વિદેશના જયોતિષાચાર્યો સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. પંડિત દિનેશ ગુરૂજી આચાર્ય જી.ડી. વશિષ્ટ (લાલ કિતાબ), જામનગરથી નરેન્દ્રભાઈ ભેંસદડીયા તથા અનેક વિદ્ધવાનોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ વિધિ સંપન્ન થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શાસ્ત્રીજી જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડના સતત બે વર્ષ સુધી પ્રમુખ રહી ચુકેલા છે તથા ફેડરેશન લેવલે બે વર્ષ સુધી કાઉન્સીલમાં સક્રિય રહેલ તથા વિશ્વ કક્ષાએ સેવા કરતી લાયન્સ કલબ ઓફ જામનગર (મેઈન)ના બોર્ડ મેમ્બર રહી ચુકેલા છે અને જામનગરની અનેકવિધ સંસ્થાઓમાં સક્રિય રીતે સેવા તેમના દ્વારા થયેલ છે.

આ એવોર્ડ અર્પણ થયા પછી રાજય પુરોહિત જ્ઞાતિના અગ્રણીઓએ તથા મોરબી પરશુરામ ધામ બ્રહ્મ સમાજ તથા જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડના પ્રમુખ ઋષિભાઈ દવે તથા ફેડરેશન પ્રમુખ મુકેશભાઈ પાઠક, જયેશભાઈ ગોપીયાણી, રેણુકાબેન ભટ્ટ, પત્રકાર જગતભાઈ રાવલ, સચિનભાઈ જોષી, જાયન્ટસ અગ્રણી રાજેશભાઈ દેસાઈ, સી.કે. મોતા તથા ભીવંડી જ્ઞાતિ ઉપપ્રમુખ અનિલભાઈ ભટ્ટ, ખંભાળિયા રાજય પુરોહિત જ્ઞાતિના અગ્રણી જીતેન્દ્રભાઈ નાકર તથા જામનગરના ઉદ્યોગ અગ્રણીઓએ શાસ્ત્રીજીને

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh