Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે પોલીસનો કર્મચારી જામનગર એસીબીના છટકામાં:
જામનગર તા.૨૨: રાજકોટના રેલવે સ્ટેશન પર ફરજ નિયુક્ત રેલવે પોલીસના જમાદારે મોબાઈલ ચોરીના એક આરોપીને હેરાન નહીં કરવા અને ચાર્જશીટ સાથે રજૂ કરવા રૂ.૧૦ હજારની લાંચ માંગ્યા પછી એસીબીમાં તેની ફરિયાદ કરાઈ હતી. ગઈકાલે ગોઠવાયેલા છટકામાં જામનગર એસીબીએ આ જમાદારને લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા છે.
રાજકોટના રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ હે.કો. વેલાભાઈ ડાયાભાઈ મુંધવા નામના કર્મચારી હેરાનગતિ ન કરવાના મહેનતાણા પેટે રૂ.૧૦ હજારની લાંચ માંગતા હોવાની એક જાગૃત નાગરિકે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાવતા રાજકોટ એસીબી એકમના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલે છટકુ ગોઠવવા જામનગર એસીબીને સૂચના આપી હતી.
સૂચનાના પગલે જામનગર એસીબી પીઆઈ આર.એન. વિરાણી તથા સ્ટાફે ફરિયાદીને સમજાવટ કર્યા પછી હેતુલક્ષી વાતચીત કરવા જણાવ્યું હતું અને રૂ.૧૦ હજાર આપવા ક્યા આવું તેમ પૂછવાનું કહેતા રાજકોટના રેલવે સ્ટેશન પર ટિકિટ કાઉન્ટર નજીક આવી જવા પોલીસ જમાદાર વેલાભાઈ મુંધવાએ સૂચના આપી હતી.
ત્યારપછી ફરિયાદી અને ખાનગી વસ્ત્રોમાં સજ્જ જામનગર એસીબીનો સ્ટાફ રાજકોટ વોચમાં હતો જેમાં ફરિયાદીએ રૂ.૧૦ હજાર જમાદાર વેલાભાઈને આપતા અને આ પોલીસ કર્મચારીએ તે રકમ સ્વીકારતા જ એસીબી સ્ટાફ પ્રગટ્યો હતો અને તેની ધરપકડ કરી લીધી હતી.
વધુમાં જાણવા મળ્યા મુજબ ફરિયાદ નોંધાવનાર આસામીના ભાઈને મોબાઈલ ચોરીના એક કેસમાં ત્રણેક મહિના પહેલાં પકડવામાં આવ્યો હતો તે પછી આરોપીને હેરાનગતિ ન કરવા અને ચાર્જશીટ સાથે અદાલતમાં રજૂ કરી દેવા માટે રેલવેમાં ફરજ બજાવતા જમાદાર વેલાભાઈ મુંધવાએ રૂ.૧૦ હજાર માંગ્યા હતા અને લાંચ ન આપવા ઈચ્છતા જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ કરી હતી.
આરોપીની ધરપકડ કરી તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial