Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એક આસામીને ચેક પરત અંગેના બે કેસમાં બે-બે વર્ષની કેદસજા

કુલ રૂ.પ લાખ દંડ પેટે ભરવા હુકમઃ

જામનગર તા.૨૨ : જામનગરના એક આસામીને રૂ.૨ લાખ તથા રૂ.૩ લાખની રકમના ચેક પરતની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે બંને કેસમાં આરોપીને બે-બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જામનગરમાં વસવાટ કરતા ધીરેન રમેશચંંદ્ર ભટ્ટ પાસેથી ચિંતન મહેશભાઈ પાટલીયાએ સંબંધદાવે રૂ.૨ લાખ તથા રૂ.૩ લાખ મળી કુલ રૂ.૫ લાખ હાથઉછીના લીધા હતા. તે રકમની પરત ચૂકવણી માટે ચિંતનભાઈએ બે ચેક આપ્યા હતા.

બંને ચેક બેંકમાંથી ફંડસ ઈન્સફીશીયન્ટના શેરા સાથે પરત ફરતા ધીરેનભાઈએ નોટીસ પાઠવી હતી. તેમ છતાં ચેક મુજબની રકમ પરત ન કરાતા જામનગરની અદાલતમાં કેસ કરાયો હતો. તે કેસ ચાલવા પર આવતા અદાલતે આરોપી ચિંતન મહેશભાઈ પાટલીયાને બે-બે વર્ષની કેદની સજા તથા ચેક મુજબની રકમનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા હુકમ કરાયો છે. દંડની રકમ ભરવામાં ન આવે તો વધુ ચાર-ચાર મહિનાની સજાનો આદેશ કરવામાં આવ્યો છે. ફરિયાદી તરફથી વકીલ ધર્મેશ ગોંડલીયા તથા રવિરાજસિંહ સોઢા, અનિતા રામવાણી, વિમલ ચૌહાણ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh