Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રકના ઠાઠામાં આઈશર ઘૂસ્યું:
જામનગર તા.૨૨ : અમદાવાદ નજીક તારાપુર ચોકડીથી વટામણ વચ્ચે સોમવારે સવારે એક ટ્રકના ઠાઠામાં આઈશર ઘૂસી ગઈ હતી. આઈશરની કેબીનમાં રહેલા એક વ્યક્તિનંુ મૃત્યુ થયું છે અને એકને ઈજા થઈ છે.
ધોરાજીમાં રહેતા ઈમ્તિયાઝ ખોખર નામના ટ્રક ડ્રાઈવર રવિવારે સાંજે ટ્રકમાં ધોરાજીથી ડુંગળી ભરીને સુરત જવા માટે રવાના થયા પછી સોમવારે વહેલી સવારે વટામણ તારાપુર ધોરીમાર્ગ પર કસબારા બ્રિજ નજીક એક હોટલ પાસે પહોંચ્યા હતા.
આ વેળાએ પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી એક મીની ટ્રક ઠાઠામાં ઘૂસી ગઈ હતી. અકસ્માતના પગલે મીની ટ્રકની કેબીન ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી. ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા અને તે કેબીનમાંથી બે વ્યક્તિને બહાર કાઢવામાં આવી હતી. જેમાં જામનગરના જગામેડી ગામના ભાવેશ વલ્લભભાઈ વાજા તથા કાલાવડ તાલુકાના મોટી નાગાજણ ગામના અરજણભાઈ શિવાભાઈ પટેલ નામના બે વ્યક્તિ મળી આવ્યા હતા. તેમાંથી ગંભીર ઈજા થતાં અરજણભાઈનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ભાવેશને સારવારમાં ખસેડાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial