Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીઈઆઈઆર પોર્ટલની મદદથી
જામનગર તા.૨૨ : લાલપુર પોલીસ મથકમાં ત્રણ આસામીએ પોતાના મોબાઈલ ખોવાઈ ગયાની જાણ કરી હતી પોલીસે સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી તપાસ આરંભી હતી. જેમાં ત્રણેય મોબાઈલ મળી આવ્યા છે અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને સોંપવામાં આવ્યા છે.
લાલપુર શહેરના લક્ષ્મીપાર્ક વિસ્તારમાં રહેતા ગોરધનભાઈ દેવશીભાઈ સોરઠીયા તેમજ પીપળી ગામના હરેન્દ્રસિંહ તખુભા કંચવા અને ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામના અમિત ડેર નામના ત્રણ આસામી દ્વારા પોતાના મોબાઈલ ખોવાઈ ગયાની જે તે વખતે પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
આ વ્યક્તિઓના મોબાઈલની તપાસ લાલપુરના પીઆઈ કે.એલ. ગળચરની સૂચનાથી સ્ટાફના વિક્રમભાઈ વી. બકુતરા, પ્રવીણભાઈ બડીયાવદરા, રવિ આંબલીયા દ્વારા શરૂ કરવામાં આવી હતી. સીઈઆઈઆર પોર્ટલના ઉપયોગથી પોલીસે ઉપરોક્ત ત્રણેય મોબાઈલ શોધી કાઢ્યા પછી ગઈકાલે ત્રણેય આરોપીને પોલીસ સ્ટેશન બોલાવી તેઓના મોબાઈલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત આપવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial