Advertisement
Author: નોબત સમાચાર

વિકાસગૃહ વિસ્તારના વીજતંત્રની સમસ્યાનો ઉકેલ આવશેઃ અંડરગ્રાઉન્ડ કેબલીંગ થશે

વોર્ડ નં. ૩ ના કોર્પોરેટરની રજૂઆતને સફળતા

જામનગર તા. રરઃ જામનગરના વોર્ડ નં. ૩ ના વિસ્તારમાં સેન્ટ આન્સથી વિકાસ ગૃહ થઈ આનંદ બાગ સુધી પીજીવીસીએલની મેઈન લાઈન આવેલ હોય, સ્થાનિક વિસ્તારમાં અવારનવાર પીજીવીસીએલની લાઈનમાં ફોલ્ટ થવાની સમસ્યા અને સમારકામમાં ઘણો સમય વીતી જવા અંગે તેમજ કોઈક વખત તો કલાકો સુધી રીપેરીંગ કામગીરી કર્યા પછી પણ વીજ પુરવઠો પૂર્વવત થતો ન હોય, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને પોતાના કિંમતી ઈલેક્ટ્રીક ઉપકરણોમાં નુક્સાની થવાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

જે સમસ્યાના નિવારણ માટે જણાવેલ વિસ્તારમાં પીજીવીસીએલની મેઈન લાઈન સરકારશ્રીની ડીઆઈએસએસ યોજના અંતર્ગત અન્ડરગ્રાઉન્ડ કરાવવા અંગે પીજીવીસીએલ વિભાગ સાથે પરામર્શ કરી કામગીરી કરાવવા અંગે સ્ટેન્ડીંગ કમિટી પૂર્વ ચેરમેન તથા વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર સુભાષ જોષી દ્વારા ર૦ર૩ ની સાલથી રજૂઆત કરવામાં આવતી હતી. જે રજૂઆતને સફળતા મળી છે. પીજીવીસીએલ દ્વારા આશરે રૂ. ૩૬ લાખના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલીંગની કામગીરી કરવામાં આવશે. જેથી સ્થાનિક રહેવાસીઓને ચોમાસાની સિઝનમાં તેમજ ૧૧ કે.વી. લાઈનમાં વારંવાર પાવર ફેલ્યોયરની સમસ્યામાંથી છૂટકારો મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh