Advertisement
Author: નોબત સમાચાર

પૂ. મનહરલાલજી મહારાજની ૨૫મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ઉજવાયો

ગીતા વિદ્યાલયના આદ્ય સ્થાપક

                                                                                                                                                                                                      

ગીતા વિદ્યાલયના આદ્ય સ્થાપક પૂજ્ય મનહરલાલજી મહારાજની ૨૫મી પુણ્યતિથિ નિમિત્તે ગીતા વિદ્યાલયના બાળકો, પૂર્વ વિદ્યાર્થીઓ તથા ભાવિક ભક્તજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બાળકો દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના સામૂહિક પાઠ તથા રામચરિત માનસની ચોપાઈ સ્તોત્ર અને શ્લોકોનું પઠન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા પૂજ્ય મનહરલાલજી મહારાજના જીવન ચરિત્ર વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. સંસ્થા તથા દાતાઓ દ્વારા બાળકોને સ્કૂલબેગ, ફુલસ્કેપ ચોપડા, બોલપેન અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત રહેલા વડીલો તથા ભક્તજનોએ પૂજ્ય ગુરૂજી સાથેના સંસ્મરણો રજૂ કર્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh