Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં શ્રી વિશ્વકર્મા જયંતીની કરાશે ઉજવણીઃ તડામાર તૈયારીઓ

ખંભાળિયા તા. ૪ઃ ગુર્જર સુતાર જ્ઞાતિ જામખંભાળિયા દ્વારા આગામી તા. ૧૦-૨-૨૫ના રોજ સૃષ્ટીના સર્જનહાર એવા ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવનાર છે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં મંગળા આરતી, પાટોત્સવ હવન, ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, વિદ્યાર્થી સન્માન, સંધ્યા મહાઆરતી, સમૂહ ભોજન અને સાંસ્કૃતિક જેવા અનેક વિધ કાર્યક્રમો યોજાશે.

જેમાં દાતાઓ મનસુખભાઈ ઓધવજીભાઈ સુરેલીયા, ઓધવજીભાઈ જગજીવન ભારદીયા તથા પ્રકાશભાઈ લવજીભાઈ સંચાણીયા છે.

મુખ્ય અતિથિ તરીકે અમૃતલાલ ખીમજીભાઈ ભારદીયા, (રવિ ટેકનો --- રાજકોટ), તથા જ્ઞાતિની સંસ્થાઓના અગ્રણીઓ, મહાનુભાવો અને ગામ, બહારગામના જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh