Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રિય અંદાજપત્રને શહેર ભાજપ દ્વારા આવકાર

મધ્યમ વર્ગ સહિત સૌને હિતકારી બજેટ

જામનગર તા. ૪ઃ કેન્દ્રિય અંદાજપત્રને જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આવકાર આપવામાં આવ્યો છે.

જેમાં ૧ર લાખ રૃપિયા સુધીની આવકને કરમુક્તિની જાહેરાતથી દેશના એક મોટા મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગને રાહત મળશે.

આ ઉપરાંત બજેટની તમામ ક્ષેત્રો માટે જાહેર કરેલી યોજનાઓ અને નોંધપાત્ર રકમની ફાળવણીથી દેશના વિકાસને ગતિ મળશે અને જનસુવિધાઓમાં વધારો થશે. બજેટની વિવિધ લાભદાયી જોગવાઈઓના ઉલ્લેખ સાથે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરષોત્તમ કકનાણી સહિત સેલ મોરચા અધ્યક્ષ, પદાધિકારીઓ, કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો, વોર્ડ પ્રભારીઓ, વોર્ડ સમિતિ, પેઈજ પ્રમુખ સહિત પ્રબુદ્ધ નાગરિકો, કાર્યકર્તાઓએ કેન્દ્રિય બજેટ ર૦રપ ને આવકારેલ છે તેમ ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ કન્વીનર ભાર્ગવ ઠાકરએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh