Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ તા. ૪ઃ કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. તેઓ ઘણાં સમયથી બીમાર હતાં.
મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. તેઓ ઘણાં સમયથી બીમાર હતાં અને આજે સવારે ૧૧ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી તેની અંતિમ યાત્રા નીકળી હતી.
નોંધનીય છે કે કરશનભાઈ લાંબા સમયથી બીમાર હતાં અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમની બ્લડ કેન્સર સારવાર ચાલી રહી હતી. મોડી રાત્રે અઢી વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ વર્ષ ર૦૧૭ અને ર૦રર માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતાં. તેઓ સાદગીભર્યા જીવન અને મિલનસાર સ્વભાવ માટે જાણીતા હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અન્ય મંત્રીગણ સાંસદો, ધારાસભ્યો સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial