Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાકૃતિક ખેતી, વાતાવરણ, ખેતીખર્ચમાં ઘટાડા સહિતની ચર્ચા થઈ
જામનગર તા. ૪ઃ જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના કૃષિ ટેકનોલોજીના વિસ્તરણ માટે ૨૧ મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની મિટિંગનું આયોજન જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો. વી.પી. ચોવટિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. કે. પી. બારૈયા દ્વારા જામનગર અને દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન કરવામાં આવેલ કામગીરી તથા વર્ષ-૨૦૨૫ દરમ્યાન કરવાની થતી કૃષિલક્ષી કામગીરીની સમીક્ષા તેમજ પરામર્શ કરવામાં આવ્યો હતો. મિટિંગમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, ખેતી પર વાતાવરણની અસરો તેમજ ખેતી ખર્ચમાં ઘટાડો વગેરે જેવાં મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી હતી.
આ મીટીંગમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન.બી.જાદવ અને સચિવ ડો. વાય.એચ. ઘેલાણી, કૃષિ યુનિવર્સિટીના અન્ય વૈજ્ઞાનિક ડો. કે.ડી. મુંગરા, ડો. એચ.આર. વદર, ડો. પી.ડી. વેકરીયા અને ડો. કે.એન. વડારીયાએ હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું. આ મિટિંગના અધ્યક્ષ ડો. વિ.પી. ચોવટિયાએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો કૃષિ પાકોની નવી નવી જાતો અને તેની ખાસિયતોથી વાકેફ થાય, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેતીમાં નવીનતમ ટેકનોલોજીઓ ખેડૂતો સુધી પહોંચી શકે તેવા પ્રયત્નો કરવા માટે વૈજ્ઞાનિકોને ભલામણ કરી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત મિત્રોને ખેતીમાં આવતી રોગ જીવાતોની સમસ્યાને હલ કરવા નવીનતમ ટેકનોલોજી વાપરવા અંગે સમજુતી આપવામાં આવી હતી.
આ મિટિંગના સભ્ય તરીકે લાઈન ડીપાર્ટમેન્ટ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા અધિકારીઓ બી.એમ. આગટ, કે.એસ. ઠક્કર, જી.જે. કાતરીયા, સી.ઓ. લશ્કરી તેમજ અન્ય લાઈન ડીપાર્ટમેન્ટના સભ્યો તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહૃાાં હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial