Advertisement
Author: નોબત સમાચાર

જાનકી વલ્લભ મંદિરનો ૩૦મો પાટોત્સવ

આજે સાંજે દી૫ પ્રાગટ્યઃ આવતીકાલે યજ્ઞ

જામનગર તા. ૪ઃ જામનગરના રણજીતનગર સ્થિત શ્રી જાનકી વલ્લભ મંદિરના ૩૦ મા પાટોત્સવ નિમિત્તે મંદિરે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં તા. ૪-ર-ર૦રપ ના રાત્રે ૮ વાગ્યે શીનસિંહ જાડેજા અને મનુભા જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે. ત્યારપછી સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ થશે.

તા. પ-ર-ર૦રપ ના સવારે ૮ વાગ્યે યજ્ઞ દેવતાનું સ્થાપન, સવારે ૧૦.૩૦ વાગ્યે શ્રી ચામુંડા માતાજીને ખૂલ્લા પડદે કેશર સ્નાન, પંચામૃત સ્નાન અને ગંગા સ્નાનથી અભિષેક, ૧૧ વાગ્યે શ્રૃંગાર આરતી, સાંજે ૪ વાગ્યે ધ્વજા પૂજન, સાંજે પ વાગ્યે બીડું હોમાશે. સાંજે ૭ વાગ્યે કુમારીકા ભોજન, ૮ વાગ્યે પ્રસાદ રાખવામાં આવ્યો છે. તુષારભાઈ જોશી અને મનીષભાઈ ભટ્ટ યજ્ઞના યજમાન છે. તેમ જાનકી વલ્લભ મંદિર તથા પ્રવિણભાઈ જોશી (મારાજ) દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh