Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતક હાપાના હતા રહેવાસીઃ
જામનગર તા.૪ઃ જામનગરના હાપા પાસે આવેલા જલારામ મંદિર નજીક એક કૂવામાંથી સોમવારે સવારે હાપામાં રહેતા એક પ્રૌઢનો દેહ મળી આવ્યો છે.
જામનગર નજીક હા૫ા પાસે આવેલા જલારામ મંદિર પાસેના એક કૂવામાં મૃતદેહ જોવા મળતા કોઈએ પોલીસને સોમવારે જાણ કરી હતી.
જાણના પગલે દોડી ગયેલી પોલીસ ટીમ તથા ફાયરબ્રિગેડ સ્ટાફે તે કૂવામાં સર્ચ કરતા તેમાથી એક પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ મેળવવા પોલીસે શરૃ કરેલી તજવીજમાં મૃતકનું નામ કિશોરભાઈ કરશનભાઈ મસુરીયા (ઉ.વ.પર) અને તેઓ હાપામાં રહેતા હોવાનું ખૂલ્યું હતું. ત્યાં આવી ગયેલા તેમના પુત્ર સચિન મસુરીયાએ પિતાના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial