Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની યુવતીને રાજકોટમાં સાસરિયાએ ત્રાસ આપી મારકૂટ કર્યાની કરાઈ ફરિયાદ

કાલાવડની યુવતીએ પણ પતિ સામે નોંધાવી રાવઃ

જામનગર તા.૪ ઃ જામનગરના એક યુવતીના લગ્ન ત્રણ વર્ષ પહેલાં રાજકોટ કરવામાં આવ્યા પછી પતિ, સાસુ, સસરા, દિયર-દેરાણીએ તેણીને મારકૂટ કરી ત્રાસ વર્તાવતા પિયર પરત ફરેલા યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાલાવડમાં રહેતા એક પરિણીતાએ સડોદરમાં વસવાટ કરતા પતિ સામે અવારનવાર ઝઘડો કરી મારકૂટ કર્યાની રાવ કરી છે.

જામનગરના લાલવાડી વિસ્તારમાં અટલ આવાસમાં રહેતા મીનાબેન ગોપાલભાઈ નામના યુવતીના વર્ષ ૨૦૨૧માં રાજકોટમાં જશરાજ સોસાયટીમાં રહેતા હરેશ મગનભાઈ મારડીયા સાથે લગ્ન થયા પછી દોઢેક મહિના વિત્યો ત્યારે પતિ તેમજ સાસુ જયશ્રીબેન, સસરા મગનભાઈ ધનજીભાઈ મારડીયા, દિયર રવિ, દેરાણી મયુરીબેને નાની નાની વાતોમાં ઝઘડા શરૃ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૃ કરી ગાળો ભાંડી મારકૂટ કરતા હાલમાં પિયર પરત ફરેલા મીનાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પાંચેય સાસરિયા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

કાલાવડ શહેરના શ્યામ વાટીકામાં રહેતા નીતાબેન શ્રીમાળીના લગ્ન જામજોધપુર તાલુકાના સડોદર ગામના નરશીદાસ મલુકદાસ શ્રીમાળી સાથે થયા પછી નીતાબેન કોઈ કારણથી રિસામણે આવી ગયા હતા. તેણીના ઘેર આવી પતિ અવારનવાર ગાળો ભાંડી ઝઘડો કરી મારકૂટ કરતો હોવાથી નીતાબેને ગઈકાલે તેની સામે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh