Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ટ્રાફિક જાગૃતિ અંગે સેમિનાર યોજાયો

વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન

જામનગર તા. ૪ઃ ગવર્નમેન્ટ પોલિટેકનિક તેમજ ડી.કે.વી. કોલેજમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ  કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ કેસ સ્ટડી અને ઉદાહરણો દ્વારા ડિફેન્સિવ ડ્રાઇવીંગ અંગેની તાલીમ અપાઈ હતી.

આર.ટી.ઓ.જામનગર તથા જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ડી.કે.વી.કોલેજ તેમજ ગવર્નમેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગર આર.ટી.ઓ. કે.કે.ઉપાધ્યાય દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કેસ સ્ટડી અને ઉદાહરણો દ્વારા ડિફેન્સિવ ડ્રાઇવીંગ અંગેની તાલીમ આપવામાં આવી હતી.વધુમાં આર.ટી.ઓ. ઈન્સ્પેકટર એસ.વી.રૃપાણી દ્વારા સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને માર્ગોને સુરક્ષિત બનાવવા માટે રોડ માર્કિંગ અને સાઈનેજીસની અગત્યતા વિશે પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતગાર કરવામાં આવેલ હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh