Advertisement
Author: નોબત સમાચાર

નાગનાથ નાકા-તંબોલી માર્કેટના કોર્નર પાસે છલકાતા ગંદા પાણી

જામનગરમાં ૫ાંચ દિવસથી

જામનગર તા. ૪ઃ નાગનાથ ગેઈટ, તંબોલી માર્કેટના ખૂણા પાસેની ભૂગર્ભ ગટરમાંથી છેલ્લા પાંચ દિવસથી ગંદા પાણી જાહેર માર્ગ ઉપર છલકાઈ રહૃાા છે , આ સમસ્યા અંગે રિટેલ વેપારી મહામંડળ -જામનગર ના પ્રમુખ શશિકાન્ત મશરૃ એ ગ્રેઈન માર્કેટ, જૂના કસ્ટમ હાઉસ પાસે આવેલી ફરિયાદ ઓફિસમાં ફરજ ઉપર હાજર રહેલા કર્મચારીને ફરિયાદ નોંધાવી તો તેણે જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટરની સફાઇ માટે મોબાઈલ નંબર ૮૭૯૯૪ ૦૫૦૮૮ ઉપર ફરિયાદ કરવાનું જણાવ્યું હતું.

આ મોબાઈલ નંબર રિસિવ કરનાર મોહિત નામની વ્યક્તિએ સફાઈ કામદાર આવશે તેમ કહીને ફોન મુકી દીધો હતો...!!

જામનગર મહાનગરપાલિકા દ્વારા બજેટમાં શહેરીજનો ઉપર કરવેરામાં અસહૃા અને આકરો વેરો ઝીંકી દીધો હોવા છતાં પ્રજાને પડતી હાલાકી દૂર કરવામાં * ચલક ચલાણું* રમવામાં આવતું હોવાનું શશિકાન્ત મશરૃએ જણાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh