Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪ઃ સમસ્ત સીદી જમાત જામનગરના વર્તમાન હોદેદારો પીટીઆર દફતરે નોંધાયેલ હોવાથી સીદી જમાતના જન્મ-મરણ, નિકાહ સર્ટિફિકેટ, અનુ જનજાતિનાં પ્રમાણપત્રો જમાતખાનાના બુકિંગ વગેરે સંબંધિત તમામ પ્રકારની કાર્યવાહીઓ કરવાનો અધિકાર ગુજરાત રાજય વકફ બોર્ડ દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યો છે.
જેમાં સમસ્ત સીદી જમાતના પ્રમુખ ઈબ્રાહિમભાઈ એ. મુરીમા અને સેક્રેટરી અખ્તર ઈસ્માઈલભાઈ વગીન્ડાને આ માટે સત્તા આપવામાં આવી છે.
ઉપરોકત વ્યકિતઓ સિવાય અન્ય કોઈ વ્યકિતઓ દ્વારા સમસ્ત સીદી જમાતના લેટર પેડ તથા સિકકાઓનો દૂરઉપયોગ કરવો નહીં. જો કોઈ વ્યકિત તેનો દૂર ઉપયોગ કરે તો તે વ્યકિત વિરૃદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમ સમાજના પ્રમુખ અને સેક્રેટરીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial