Advertisement
Author: નોબત સમાચાર

સિદ્ધાર્થનગરમાં રહેણાંક મકાનમાંથી મળી આવી ઈંગ્લીશ દારૃની ૨૨૮ બોટલ

નાસી ગયેલા આરોપીની એલસીબી દ્વારા શોધખોળઃ

જામનગર તા.૪ ઃ જામનગરના સિદ્ધાર્થનગરમાં એક મકાનમાં ગઈકાલે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી શખ્સના મકાનમાંથી ઈંગ્લીશ દારૃની ૧૯ પેટી પકડી પાડી છે. સ્થળ પરથી એલસીબીએ રૃા.૧ લાખ ૪૭ હજાર ઉપરાંતની કિંમતની ૨૨૮ દારૃની બોટલ કબજે કરી નાસી ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

જામનગરના ગોકુલનગર રોડ પર આવેલા સિદ્ધાર્થનગર સ્થિત એક મકાનમાં ઈંગ્લીશ દારૃનો જથ્થો પડ્યો હોવાની બાતમી એલસીબીના દિલીપ તલાવડીયા, ઘનશ્યામ ડેરવાડીયા, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ ગઈકાલે રાત્રે એલસીબી સ્ટાફે સિદ્ધાર્થનગરમાં ધર્મેન્દ્ર રસીકભાઈ ગોહિલ નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી.

તે મકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૯ પેટી મળી આવી હતી. એલસીબીએ કુલ રૃા.૧,૪૭,૭૪૪ની કિંમતનો ૨૨૮ બોટલ દારૃ કબજે કરી લીધો છે અને દરોડા પહેલાં નાસી ગયેલા ધર્મેન્દ્ર ગોહિલની શોધ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh