Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનુબંધ ફાઉન્ડેશન દ્વારા
જામનગર તા. ૪ઃ અમદાવાદની અનુબંધ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અમદાવાદમાં ઢળતી ઉંમરે એકલતા દૂર કરવા, અને પાનખરમાં વસંત લાવવા માટેના ક્રાંતિકારી કાર્યનું આયોજન થયું છે.
એકલવાયુ જીવન જીવતા વડીલો માટે એક અનન્ય અને અનોખા જીવન સાથી પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫૦ થી ૮૦ વર્ષના કુંવારા, ડિવોર્સી, વિધવા, વિધુર, ઉમેદવારો માટે જીવનસાથી પસંદગી મેળો તા. ૨૧-૨-૨૫ અને શુક્વારે બપોરે ૧૨ વાગ્યે મેહંદી નવાજ જંગ હોલ સેફાલી સેન્ટર સામે, પાલડી ચાર રસ્તા અમદાવાદમાં યોજાશે. વિનામૂલ્યે આયોજીત આ જીવન સાથી પસંદગી મેળામાં ઈચ્છુક ઉમેદવારો બપોરે ૧૨ વાગ્યે ઉપસ્થિત રહેવા અને વધુ વિગત માટે નટુભાઈ પટેલ (૮૩૨૦૩ ૭૨૨૬૪) અથવા ભૂપતભાઈ સોની (૯૪૨૬૪ ૨૫૮૪૪)નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial