Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪ઃ જામનગર મોઢ વણિક જ્ઞાતિ દ્વારા તથા ડોલરભાઈ ભગવાનલાલ પોરેચા અને મીનાબેન ડોલરભાઈ પોરેચા તરફથી મોઢવણિક જ્ઞાતિનું સમૂહ ભોજન યોજવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૬-૨-૨૦૨૫ને ગુરૃવારે સવારે ૧૧ઃ ૩૦ વાગ્યે જામનગર વિશા ઓશવાળ જૈન જ્ઞાતિ અજરામલ હરજી ટ્રસ્ટની વાડી, નવાનગર હાઈસ્કૂલ સામે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ તકે સન્માન સમારંભ પણ યોજાશે. સ્વ. બાલકૃષ્ણભાઈ કાનજીભાઈ શાહ તથા સ્વ. માનુબેન ભગવાનલાલ પોરેચા અને સ્વ. ભગવાનલાલ અમૃતલાલ પોરેચાના સ્મરણાર્થે આ સમૂહ ભોજન યોજવામાં આવ્યું છે. આ તકે ભાગવતાચાર્ય શાસ્ત્રી વિરલભાઈ નાકર, જામનગર મોઢ વણિક જ્ઞાતિના પ્રમુખ હિતેશભાઈ દલાલ, મહિલા મંડળના પ્રમુખ કમલબેન કોયા, યુવક મંડળના પ્રમુખ મનશીલભાઈ કોયા, વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ દિપકભાઈ શેઠ, મોઢ સોશ્યલ ગ્રુપના પ્રમુખ અજીતભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial