Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મફત શિક્ષણના પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મનો નમુનો નિઃશુલ્ક અપાશે

વીરબાઈ જલીયાણ વાલી મંડળની સેવા

જામનગર તા. ૪ઃ શિક્ષણ અધિકાર કાયદા અન્વયે ધો. ૧ થી ૮માં નિઃશુલ્ક પ્રવેશના ફોર્મની સેવા વીરબાઈ જલીયાણ વાલી મંડળ દ્વારા આપવામાં આવશે. આવા ફોર્મ ભરવા માટે બાળકના જન્મનો દાખલો બાળકનું આધારકાર્ડ, બાળકના પિતાનુ આધાર કાર્ડ, બાળકના પિતાના વાર્ષિક આવકનો દાખલો, બાળકના નામ સાથેનુ રાશનકાર્ડ, જાતિનો દાખલો, બાળકના માતા-પિતાની બેન્કની પાસબુક, બાળકનો ફોટો, માતા-પિતાની સહીનો નમુનો, બીપીએલ કાર્ડ (જો હોય તો), માત્ર એક જ બાળકનો દાખલો આંગણવાડીનો દાખલો (બાળક બે વર્ષ આંગણવાડીમાં ગયેલ હોવું જોઈએ. આઈસીડીએસ પોર્ટલમાં નામ હોવું જરૃરી છે. મંદબુદ્ધિ, દિવ્યાંગનો દાખલો વગેરે સાથે લાવવા જરૃરી છે.

સંસ્થાની ઓફિસેથી ઓનલાઈન નમુનાનું ફોર્મ તા. ૬-૨-૨૫થી મળશે. જરૃર પડે તો સંસ્થાના કાર્યાલય વીરબાઈ જલીયાણ વાલી મંડળ ધણ શેરી, મીઠાના કારખાના પાસે બેડી ગેઈટ, જામનગરનો સંપર્ક કરવા પ્રમુખ કિશોર મજીઠીયાએ યાદીમાં જણાવ્યું છે. અથવા ૯૮૨૪૨ ૫૪૮૬૨નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh