Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હી વિધાનસભા ચૂંટણી
નવી દિલ્હી તા. ૪ઃ આવતીકાલે વિધાનસભા ચૂંટણી માટે દિલ્હીમાં મતદાન પહેલા આપ અને બીજેપી વચ્ચે વિવાદ થયો છે. સીએમ આતિશી અને ભાજપના નેતાના પુત્ર સામે એફઆઈઆર નોંધાઈ છે.
ગઈકાલે આખી રાત દિલ્હીમાં ઘણી જગ્યાએ ધમાલ મચી હતી. મુખ્યમંત્રી આતિશીના બેઠક કાલકાજીમાં સૌથી વધુ હંગામો થયો હતો. પોલીસે ગોવિંદપુરી સ્ટેશન પર મુખ્યમંત્રી આતિશી, તેના સમર્થકો અને રમેશ બિધુરીના પુત્ર વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ બધા સામે આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો છે.
મુખ્યમંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એકસ' મોડી રાત્રે પોસ્ટ કરીને લગાવ્યો કે, 'ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીના પુત્ર મશીન બિધુરી અને તેમના પરિવારના ઘણાં સભ્યો ઝૂંપડપટ્ટીમાં ફરતા હતા અને આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહૃાા હતા.' તેમણે ચૂંટણી પંચ પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, ડીસીપી સાઉથ ઈસ્ટે આ માહિતી આપી હતી કે મનીષ બિધુરી વિરૃદ્ધ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર (આતિશી) પણ ૫૦-૭૦ લોકો અને ૧૦ વાહનો સાથે આચારસંહિતાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. ચોથી ફેબ્રુઆરીએ રાત્રે કાલકાજી બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ૫૦-૭૦ લોકો અને વાહનો સાથે ફતેહ સિંહ માર્ગ પર હતા. આચારસંહિતાના કારણે પોલીસે તેમને ત્યાંથી જવા કહૃાું. ફ્લાઈંગ સ્ક્વોડ ટીમની ફરિયાદ પર, ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આરપી એક્ટ ૧૨૬ ની કલમ ૨૨૩ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial