Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ધૂળ ખાતી પંદર વર્ષ પહેલા ૪ર કરોડના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર યોજના

સરકારની ઘોર ઉદાસીનતા

ખંભાળિયા તા. ૪ઃ ગુજરાત રાજ્યમાં પંદર વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા તમામ મોટા શહેરોમાં સાતેક હજાર કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના લાગુ કરી હતી. ખંભાળિયામાં પણ ૪ર કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર બનેલી પણ ભૂગર્ભ ગટર યોજનામાં મૂળ કોન્ટ્રાક્ટર કંપનીને બદલે આઠ-દસ પેટા કોન્ટ્રાક્ટરો બદલી જતા આ યોજનામાં પાઈપલાઈન નાખવામાં ગોટાળા થતા આ યોજના કાર્યાન્વિત હતી. જેથી પાલિકાએ નહીં સંભાળતા ૪ર કરોડની ભૂગર્ભ ગટર યોજના પંદર વર્ષથી ધૂળ ખાતી પડી છે. લોકોએ મરજી મુજબ પોતાની રીતે પોતાની ગટરના જોડાણો ભૂગર્ભ ગટરની લાઈનમાં નાખી દેતા ઢોળાવવાળા વિસ્તારોમાં રોજ ગટરો છલકાય છે, કારણ કે ભૂગર્ભ ગટર તો કાર્યાન્વિત જ નથી.

તાજેતરમાં ખંભાળિયાના ધારાસભ્ય બનેલા તથા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના ધ્યાને ખંભાળિયાની આ ગંભીર સમસ્યા રજૂ થતા તેમણે રાજ્ય સરકારમાં રજૂઆત કરીને ર૭ કરોડ રૃપિયા ભૂગર્ભ ગટર યોજનાના કામને પૂર્ણ કરવા ફાળવાયા છે ત્યારે પ્લાન એસ્ટીમેન્ટ સાથે તુરંત કામ કરીને શહેરમાં ગટર-ગંદકી તથા ભૂગર્ભ ગટરો છલકાવાના રોજના પ્રશ્નો હલ થાય તે માટે નાગરિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh