Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના નિવૃત્ત હેલ્થ ઓફિસર લિખિત
જામનગર તા. રપઃ જામનગરના નિવૃત્ત હેલ્થ ઓફિસર, જાણીતા સંશોધક, સંપાદક, લેખક ડો. કે.એન. કુડેચા લિખિત 'અલખ અવતારી ગિરનારી ઓલિયા સંત શ્રી વેલનાથબાપુ' પુસ્તકનું વિમોચન પ્રવિણ પુસ્તક પ્રકાશનના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પોરબંદરના કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડાને અર્પણ કરવામાં આવ્યું હતું. ડો. ભરડાએ ડો. ડો. કુડેચાને અભિનંદન આપી પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ સંશોધનાત્મક પુસ્તક છે અને શાળા-કોલેજોના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પૂરવાર થાય તેવું છે. દંતકથા, લોકવાયકાઓને દસ્તાવેજી આધારો મળે ત્યારે ઈતિહાસ બને છે.
આ પુસ્તકના પ્રકાશનમાં અલિયાબાડા નકંલક રણુજાના રામદાસ બાપુના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. ડો. બી.એમ. પંચાસરા, ડો. વી.જે. ભીલ, જયંતિભાઈ છીપરિયા, ગિરીશભાઈ મકવાણા, ડો. ગુલાબભાઈ સોલંકી, રાજેશભાઈ કુડેચાએ સહકાર આપ્યો હતો.
આ પુસ્તક અંગે વધુ જાણકારી માટે ડો. કે.એન. કુડેચા (મો. ૭૦૬૯૪ ૯૦ર૯પ) નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial