Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાવો રદ્દ કરવા પ્રતિવાદીએ કરી હતી અરજીઃ
જામનગર તા.રપ : જામનગર નજીક રાવલસર ગામમાં આવેલી જામનગરના જાણીતા વસંત પરિવારની જગ્યાના વેચાણ અંગે તે જગ્યાના એક સહભાગીદારે અદાલતમાં દાવો કર્યાે હતો તેની સામે પ્રતિવાદી પક્ષે તે દાવો મુદ્દત બહારનું હોવાનું જણાવી દાવો રદ્દ કરવા અરજી કરી હતી. તે અરજી અદાલતે નામંજૂર કરી છે.
જામનગર નજીકના રાવલસર ગામમાં શરદ કલ્યાણજી વસંત, મહેશ કલ્યાણજી વસંત, સ્વ. વિનોદરાય કલ્યાણજી વસંત નામના ત્રણ આસામીની સંયુક્ત કુટુંબની મિલકત આવેલી છે. આ અવિભાજ્ય જગ્યામાંથી શરદભાઈ તથા સ્વ. વિનોદરાય વસંતના વારસદારોએ ત્રીજા ભાગના અવિભાજ્ય હિસ્સાનો અવિભાજય વેચાણ દસ્તાવેજ કર્યાે હતો.
આ બાબતે મહેશ વસંતે અદાલતમાં દાવો કરી જણાવ્યું હતું કે, તેમની સંમતી વગર વેચાણ કરી શકાય નહીં અને તેઓને અગ્રહક્કથી હિસ્સો પ્રાપ્ત કરવાનો હક્ક છે.
તેની સામે શરદ વસંતે વાંધો લીધો હતો કે, તેઓને વેચાણ કરવાનો હક્ક છે, કોઈ અગ્રહક્ક નથી, દાવો મુદ્દત બહારનો છે. તેની સામે વાદી મહેશ કલ્યાણજી વસંતના વકીલ અનિલ કોઠારી, રવીન્દ્ર વાઘેલા, વિશાલ વાઘેલાએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે શરદ કલ્યાણજીની અરજી રદ્દ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial