Advertisement
Author: નોબત સમાચાર

જામનગર આવતા વિદેશી પક્ષીઓને આપણા ગાંઠિયા કોઠે પડી ગયા છે!

પક્ષીઓની ઘટી રહેલી સંખ્યા ચિંતાજનકઃ

જામનગર શહેરની મધ્યમાં આવેલ રણમલ તળાવના પાણીમાં દર વર્ષે ખાસ કરીને શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. આ પક્ષીઓ નાના બાળકોથી સૌ નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

જો કે, વ્હેલી સવારથી સાંજ સુધી તળાવની પાળે આવતા મોટાભાગના લોકો દ્વારા આ વિદેશી પક્ષીઓને હલકી ગુણવત્તાવાળા ગાંઠિયા સહિતના અખાદ્ય પદાર્થો ખવડાવતા હોય છે. આ પક્ષીઓ પણ જામનગરી ગાંઠિયા (ભલે સાવ હલકી ગુણવત્તાવાળા હોય) થી ટેવાઈ ગયા હોય તેમ ગાંઠિયાના ફેંકવામાં આવતા ટૂકડાઓ પર તૂટી પડે છે.

જામનગરના સંબંધિત તંત્ર દ્વારા પક્ષીઓને ગાંઠિયા કે અન્ય ખોરાક નહીં ખવડાવવા પ્રતિબંધાત્મક સૂચના આપી હોવા છતાં દર વર્ષે લોકો બિન્દાસપણે ગાંઠિયા નાંખતા હોય છે, ત્યાં ગાંઠિયા વેંચાતા હોય છે. એકાદ-બે વખત કદાચ ફૂડ પોઈઝનીંગના કારણે હલકી ગુણવત્તાનો ખોરાક ખાવાથી વિદેશી પક્ષીઓના મોત થયા હતાં, પણ આમ જુઓ તો આ પક્ષીઓને આપણાં ગાંઠિયા કોઠે પડી જ ગયા છે!

કેટલાક પક્ષીપ્રેમીઓના જણાવ્યા પ્રમાણે જામનગરમાં દર વર્ષે વિદેશી પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે. કદાચ અખાદ્ય કે હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો કારણભૂત હોય શકે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh