Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત-ટીબ્બત સંઘના રાષ્ટ્રીય મંત્રી
જામનગર તા. ૨૫: ભારત ટીબ્બત સંઘના રાષ્ટ્રીય મંત્રી, માનસરોવર મુક્તિ અભિયાન માટે કાર્યરત અને વૃંદાવનના પ્રસિદ્ધ કથાકાર શ્રી સુનિલ કૌશલજી જામનગરના પ્રવાસે આવ્યા હતા. સુનિલ કૌશલજીએ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યપીઠ શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિરમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મચાર્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણિજી મહારાજ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ તકે આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ અને સુનિલ કૌશલજીએ સાંપ્રત સમયના વિષયો પર ગહન ચર્ચા વિચારણા પણ કરી હતી. આ પ્રસંગે ભારત ટીબ્બત સંઘ યુવા વિભાગ ગુજરાત પ્રદેશ મહામંત્રી કર્મભાઈ ઢેબર, પત્રકાર અને પ્રણામી ધર્મ સાથે જોડાયેલા યુવા કિંજલભાઈ કારસરીયા, રવિભાઈ મકવાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહૃાા હતા.આ ઉપરાંત વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં પણ તેઓએ દર્શન કર્યા હતા. અને છેલ્લા ૬૦ વર્ષથી ચાલતી શ્રી રામ જય રામ જય જય રામની અખંડ ધૂનમાં પણ તેઓએ ભાગ લઈ ભાવવિભોર થઈ કૃતજ્ઞતા વ્યકત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial