Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ હર્ષદમાં ભીડભંજન મહાદેવના મંદિરમાંથી શિવલીંગ ગાયબઃ થાળો મળ્યો

મહાશિવરાત્રિના આગલા દિવસે નાપાક તત્ત્વોના કૃત્યથી શિવભક્તો કાળઝાળઃ

ખંભાળિયા તા.૨૫ : કલ્યાણપુરના હર્ષદ ગામમાં આવેલા ભીડભંજન મહાદેવ મંદિરમાંથી ગઈરાત્રે કોઈ નાપાક તત્ત્વો શિવલીંગ તથા તેનો થાળો ઉઠાવી ગયા હતા. થાળો દરિયાકાંઠેથી મળી આવ્યો છે. જ્યારે શિવલીંગ મળ્યું નથી. ઉપરોક્ત બનાવના પગલે શિવભક્તો રોષે ભરાયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડ્યો છે. આવતીકાલે મહાશિવરાત્રિ પર્વ છે ત્યારે જ આ પ્રકારનું કૃત્ય આચરાતા ખળભળાટ મચી ગયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે જોડાયેલા પોરબંદર રોડ પર હરસિદ્ધિ માતા મંદિર નજીક ના ભીડભંજન મહાદેવ મંદિરમાં ગઈરાત્રે કોઈ શખ્સો શિવલીંગ તથા તેનો થાળો ઉપાડી જતા ભારે ખળભળાટ મચી ગયો છે.

આવતીકાલે મહાશિવરાત્રિ તહેવાર છે ત્યારે જ આગલા દિવસે ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલીંગ ગાયબ થઈ જતાં શિવભક્તો ક્રોધે ભરાયા છે. કોઈ શખ્સો ગઈરાત્રે મંદિરમાં ઘૂસ્યા પછી શિવલીંગ અને થાળો કાઢી નજીકમાં આવેલા દરિયાકાંઠા સુધી પહોંચ્યાનું જાણવા મળી રહ્યું છે. દરિયાકાંઠેથી થાળો મળ્યો છે. જ્યારે શિવલીંગને કોઈએ દરિયામાં પધરાવી દીધાનું માનવામાં આવી રહ્યું છે.

આવતીકાલે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ત્યાં સેંકડો શિવભક્તો ઉમટવાના હતા અને તે પહેલાં જ આ પ્રકારનંુ કૃત્ય કોઈ નાપાક તત્ત્વોએ આચરતા પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ કાફલો હર્ષદ ધસી ગયો છે. પોલીસે તે સ્થળે ચુસ્ત બંદોબસ્ત મૂકી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh