Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૨ યાત્રાળુને ઈજાઃ કર્ણાટકથી બસ સૌરાષ્ટ્રના યાત્રાધામના પ્રવાસે આવી હતીઃ
જામનગર તા.રપ : દ્વારકા-પોરબંદર ધોરીમાર્ગ પર આવેલા પોરબંદર નજીકના કુછડી ગામ પાસે એક ગોળાઈમાં બંધ પડેલા ટ્રકના ઠાઠામાં ગઈરાત્રે એક યાત્રાળુ બસ ઘૂસી ગઈ હતી. બે યાત્રાળુના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા છે અને અન્ય ૧૨ યાત્રાળુને નાની મોટી ઈજા થઈ છે. ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તોને પોરબંદર લઈ જવામાં આવ્યા છે. આ બસ કર્ણાટકથી સૌરાષ્ટ્રના યાત્રાધામના પ્રવાસે આવ્યા પછી ગઈકાલે સોમનાથથી દ્વારકા જવા રવાના થઈ હતી.
દ્વારકાથી ૫ોરબંદર વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા પોરબંદર નજીકના કુછડી ગામ પાસે ગઈ રાત્રે કર્ણાટકથી યાત્રાળુઓને દ્વારકા દર્શનાર્થે લઈ જતી એક ખાનગી ટ્રાવેલ્સની બસ રોડ પર બંધ પડેલા ટ્રકના ઠાઠામાં ઘૂસી જતાં ધોરીમાર્ગ ચીચીયારીથી ગાજી ઉઠ્યો હતો.
કર્ણાટકથી થોડા દિવસો પહેલાં રવાના થયેલી આ ખાનગી બસ સૌરાષ્ટ્રના પવિત્ર યાત્રાધામો પર આવી પહોંચી હતી. આ બસના યાત્રાળુઓને ગઈકાલે સોમનાથમાં દર્શનનો લાભ પ્રાપ્ત થયો હતો. તે પછી ઉપરોક્ત બસ દ્વારકા આવવા માટે કોસ્ટલ હાઈવે પર નીકળી હતી અને મધરાત્રે પોરબંદરથી દ્વારકા તરફ જતી હતી.
આ વેળાએ પોરબંદર જિલ્લાના કુછડી ગામ પાસે પહોંચી ત્યારે ધોરીમાર્ગ પર બંધ પડેલા એક ટ્રકના ઠાઠામાં બસ ઘૂસી ગઈ હતી. જેના પગલે બસમાં જઈ રહેલા બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય ૧૨ યાત્રાળુઓને નાની મોટી ઈજા થઈ હતી.
અકસ્માતની જાણ થતાં પોરબંદરથી પોલીસ કાફલો અને ૧૦૮ની ટીમ ધસી આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે યાત્રાળુઓના નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial