Advertisement
Author: નોબત સમાચાર

'અલખ અવતારી ગીરનારી ઓલિયા સંત શ્રી વેલનાથ બાપુ' પુસ્તકનું વિમોચન

જામનગરના નિવૃત્ત હેલ્થ ઓફિસર લિખિત

જામનગર તા. રપઃ જામનગરના નિવૃત્ત હેલ્થ ઓફિસર, જાણીતા સંશોધક, સંપાદક, લેખક ડો. કે.એન. કુડેચા લિખિત 'અલખ અવતારી ગિરનારી ઓલિયા સંત શ્રી વેલનાથબાપુ' પુસ્તકનું વિમોચન પ્રવિણ પુસ્તક પ્રકાશનના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પોરબંદરના કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડાને અર્પણ કરવામાં આવ્યું હતું. ડો. ભરડાએ ડો. ડો. કુડેચાને અભિનંદન આપી પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ સંશોધનાત્મક પુસ્તક છે અને શાળા-કોલેજોના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પૂરવાર થાય તેવું છે. દંતકથા, લોકવાયકાઓને દસ્તાવેજી આધારો મળે ત્યારે ઈતિહાસ બને છે.

આ પુસ્તકના પ્રકાશનમાં અલિયાબાડા નકંલક રણુજાના રામદાસ બાપુના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. ડો. બી.એમ. પંચાસરા, ડો. વી.જે. ભીલ, જયંતિભાઈ છીપરિયા, ગિરીશભાઈ મકવાણા, ડો. ગુલાબભાઈ સોલંકી, રાજેશભાઈ કુડેચાએ સહકાર આપ્યો હતો.

આ પુસ્તક અંગે વધુ જાણકારી માટે ડો. કે.એન. કુડેચા (મો. ૭૦૬૯૪ ૯૦ર૯પ) નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh