Advertisement
Author: નોબત સમાચાર

મહાશિવરાત્રિ પર્વે શિવજીના આશુતોષ સ્વરૂપ સાથે રજતજડીત પાલખીની શિવભક્તોની હાજરીમાં થશે પૂજા

વિક્રમભાઈ માડમ અને તેના પૂર્વ પી.એ.ના સહયોગથી પાલખી-પ્રતિમા-છત્તરઃ

જામનગર તા. રપઃ છોટીકાશી એવા જામનગર શહેરમાં પ્રતિવર્ષ મહાશિવરાત્રિના પર્વના દિવસે શિવ શોભાયાત્રા યોજાય છે. જે આ વખતે ૪૪ મી શિવ શોભાયાત્રા યોજાઈ રહી છે. ત્યારે જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમના સહયોગથી બનાવાયેલી ચાંદીની પાલખી, જેમાં ભગવાન શિવજીનું આશુતોષ મહાદેવનું ચાંદીનું સ્વરૂપ બીરાજમાન કરાયું છે, જ્યારે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમના પી.એ. રામશીભાઈ મારૂ દ્વારા વિશાળ કદનું ચાંદીનું છત્તર તૈયાર કરાવાયું છે. જે ભગવાન શિવજીની પાલખીની પ્રસાદ, પૂજા અને આરતી શિવરાત્રિના પર્વના દિવસે સવારે ૧૦ વાગ્યે શ્રીરામદૂત હનુમાન મંદિરના પ્રાંગણમાં યોજાશે. આ પૂજા વિધિમાં શહેરના કેટલાક અગ્રણી દંપતીઓ જોડાશે, અને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા તેમજ આરતી કરવામાં આવશે. ત્યારપછી ભગવાન શિવજીની પાલખી નગરભ્રમણ માટે પ્રસ્થાન થશે, અને સિદ્ધનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા પછી ત્યાંથી શિવ શોભાયાત્રા યોજાશે. જે પૂજા-આરતીના કાર્યક્રમોમાં શિવભક્તોએ જોડાવા માટે મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ દ્વારા અનુરોધ કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh