Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સજાના ચૌદ વર્ષ પૂર્ણ કર્યાઃ
જામનગર તા.૨૫ : જામનગરની જેલમાં સજાના ૧૪ વર્ષ પૂર્ણ કરનાર અને સારી વર્તણૂંક ધરાવનાર ચાર કેદીની બાકીની સજા માફ કરવામાં આવી છે. આ વ્યક્તિઓને ગઈકાલે સમાજમાં સારી રીતે સ્થાપિત થવાની શુભેચ્છા સાથે છોડવામાં આવ્યા છે.
જામનગરની જિલ્લા જેલમાં જુદા જુદા ગુન્હાઓમાં આજીવન કેદની સજા પામી રાખવામાં આવેલા અને સારી વર્તણૂંક ધરાવતા તેમજ ૧૪ વર્ષની સજા પૂર્ણ કરનાર ચાર કેદીની મુક્તિનો ગઈકાલે રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.
તે હુકમ અન્વયે જામનગર જિલ્લા જેલમાં સજા ભોગવતા પાકા કામના કેદી અલી હારૂન ગંઢાર, બચુ હારૂન ગંઢાર, ઈબ્રાહીમ કાસમ ગંઢાર, આમીન હાસમ ભગાડ નામના ચાર કેદીની સજા માફ કરી તેઓને જેલમુક્ત કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત કેદીઓના જેલ અનુભવની નોંધ જેલ સ્ટાફ દ્વારા કરાવવામાં આવવા ઉપરાંત તેઓને મીઠું મોઢું કરાવી સમાજમાં પુનઃ સ્થાપન માટે શુભેચ્છા પાઠવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial