Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે આસામીને ચેક પરત કેસ અન્વયે એક-એક વર્ષની કેદસજા

બંનેને રોકડનો દંડ ભરવા પણ આદેશઃ

જામનગર તા.રપ : જામનગરના બે આસામીને અનુક્રમે રૂ.૭૦ હજાર તથા રૂ.૪૫ હજારના ચેક પરતના કેસમાં અદાલતે એક-એક વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યાે છે.

જામનગરના તેજસ રાજેશ ભાઈ નંદા પાસેથી રૂ.૭૦ હજાર હાથઉછીના મેળવી રોહિત પ્રવીણભાઈ મકવાણાએ પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા તેજસ નંંદાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

તે કેસ ચાલી જતા અદાલતે આરોપી રોહિત પ્રવીણભાઈ મકવાણાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૂ.૫૫ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ વળતર પેટે ચૂકવી આપવા તથા દંડ ન ભરવામાં આવે તો વધુ છ મહિનાની સજાનો હુકમ કોર્ટ દ્વારા કરાયો છે.

જામનગરના યાસીન અનવર મંગરા નામના આસામી એ પણ રૂ.૪૫ હજાર તેજસ નંદા પાસેથી ઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ થઈ હતી. અદાલતે આરોપી યાસીન અનવરને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૂ.૪૫ હજારનો દંડ ફટકાર્યાે છે. બંને કેસમાં ફરિયાદી તરફથી વકીલ ભગીરથસિંહ એલ. ઝાલા, કલ્પેન વી. રાજાણી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh