Advertisement
Author: નોબત સમાચાર

વિદ્યાર્થિનીઓને માર મારવાના પ્રકરણમાં અદાલતમાં ફરિયાદઃ પોલીસને તપાસ કરી રિપોર્ટ આપવા આદેશ

ધ્રોળની જી.એમ. પટેલ કન્યા છાત્રાલયમાં પ્રવેશી

જામનગર તા. રપઃ ધ્રોળના જી.એમ. પટેલ કન્યા છાત્રાલયમાં પ્રવેશ કરી વિદ્યાર્થિનીને માર મારી, અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપવાના ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા પ્રકરણમાં શ્રી કડવા પટેલ કેળવણી મંડળે જી.એમ. પટેલ કેમ્પસના મદદનીશ કેમ્પસ ડાયરેક્ટર જેન્તિભાઈ રવજીભાઈ કગથરાને ગત્ વર્ષે તા. ૧ર-૩-ર૦ર૪ ના દિને તેના પદ પરથી સસ્પેન્ડ કર્યા હતાં.

તા. ૯-૩-ર૦ર૪ ના દિને જી.એમ. પટેલ સ્કૂલના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થિનીઓ આંબલીના ઝાડ ઉપરથી કાતરા ઉતારતી હતી ત્યારે મદદનીશ કેમ્પસ ડાયરેક્ટર જેન્તિભાઈ કગથરા ત્યાં ગયા હતાં અને ચંપલનો ઘા કર્યો હતો. આથી ત્રણ વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં અંદર જતી રહી હતી. ત્યારે જેન્તિભાઈએ હોસ્ટેલમાં પ્રવેશ કરી વિદ્યાર્થિનીને થપ્પડો મારી, અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.

જે બનાવ અંગે ધ્રોળ પોલીસ સ્ટેશનમાં તા. ૧ર-૩-ર૦ર૪ દિને ફરિયાદ આપી હતી. તેમજ તા. ર૦-૩-ર૦ર૪ ના જામનગરના એસ.પી.ને પણ ફરિયાદ કરી હતી. તેમ છતાં ધ્રોળ પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકરણમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી ફરિયાદીએ નાછૂટકે ધ્રોળની અદાલતમાં ફરિયાદ કરી હતી.

આ ફરિયાદની હકીકતો તથા રજૂ થયેલા દસ્તાવેજોને ધ્યાને લઈને ધ્રોળના જ્યુડિ. મેજિસ્ટ્રેટએ ધ્રોળ પોલીસના જવાબદાર અધિકારીને રૂબરૂ હાજર રહી તપાસનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો.

આ પ્રકરણમાં ધ્રોળની અદાલતમાં આગામી તા. ૧ લી માર્ચે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ફરિયાદી તરફથી રાજકોટના ધારાશાસ્ત્રી જીતેન્દ્રસિંહ પરમાર તથા સહયોગી વકીલો રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh