Advertisement
Author: નોબત સમાચાર

રામપરમાં આવેલી સોના-ચાંદીની દુકાનમાં ચોરીઃ દાગીના, રોકડ મળી બેએક લાખ ગયા

શટર ઉંચકાવાયું'ને દરવાજાનો નકૂચો તોડી ચોરી કરાઈઃ

જામનગર તા.રપ : જામનગર-રાજકોટ રોડ પર આવેલા રામપર ગામમાં સોના, ચાંદીના એક શો-રૂમમાં રવિવારે રાત્રે સવા બે વાગ્યાથી પોણા ત્રણ વાગ્યા દરમિયાન ઘૂસેલા તસ્કરોએ અંદરથી સોના-ચાંદીના દાગીના અને રૂ.૨૦ હજાર રોકડા મળી રૂ.૧ લાખ ૯પ હજારની મત્તાની ચોરી કરી છે. તસ્કરોએ શો-રૂમનું શટર કોઈ હથિયારથી ઉંચકાવ્યા પછી કાચના દરવાજાનો નકૂચો તોડી નાખ્યો હતો.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં આવેલા શ્રીરંગ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા અને જામનગર-રાજકોટ રોડ પર રામપર ગામમાં સોના-ચાંદીની દુકાન ચલાવતા કલ્પેશભાઈ અરવિંદભાઈ લોઢીયા નામના સોની આસામી રવિવારે દુકાન બંધ કરીને ઘેર આવ્યા પછી ગઈકાલે સવારે જ્યારે દુકાને પહોંચ્યા ત્યારે તેઓને ચોરી થઈ ગયાની જાણ થઈ હતી.

તેમની દુકાનમાં રવિવારની રાત્રે સવા બેથી પોણા ત્રણેક વાગ્યા વચ્ચે કોઈ તસ્કર ઓજારથી દુકાનનું શટર ઉંચુ કરી ઘૂસ્યા હતા. તસ્કરોએ ત્યાં મુકવામાં આવેલા કાચના દરવાજાનો નકૂચો તોડી નાખી અંદર જઈ દુકાનમાંથી રૂ.૨૦ હજારની રોકડ તથા રૂ.પોણા બે લાખના સોના-ચાંદીના દાગીના તફડાવ્યા હતા.

ઉપરોક્ત ચોરી અંગે ગઈકાલે રાત્રે પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં કલ્પેશભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે અને ત્યાં મુકવામાં આવેલા સીસીટીવીના ફૂટેજ ચકાસ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh