Advertisement
Author: નોબત સમાચાર

બીમારીના કારણે બેશુદ્ધ બની ગયેલા યુવાનનું નિપજ્યું મોત

ફેફસા નબળા પડી ગયા હતાઃ

જામનગર તા.૨૫ : જામનગરના એક યુવાન ગઈકાલે બેશુદ્ધ બની ગયા પછી મૃત્યુ પામ્યા છે. આ યુવાનના ફેફસા નબળા પડી ગયા હતા અને તેઓ દારૂ પીવાની આદત ધરાવતા હોવાનું તેમના ભાઈએ પોલીસ સમક્ષ જણાવ્યું છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯ પાછળ વસવાટ કરતા પટેલ જયમીનભાઈ વિનુભાઈ ખીરસીયા (ઉ.વ.૩૮) નામના યુવાનના ફેફસા નબળા પડી ગયા હતા.

આ યુવાન બીમારીના કારણે ગઈકાલે બેશુદ્ધ બની જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના મોટા ભાઈ સાગર વિનુભાઈએ પોલીસને જાણ કરી છે. આ યુવાન દારૂનો નશો કરવાની આદત ધરાવતા હોવાનું જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh