Advertisement
Author: નોબત સમાચાર

મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેન

રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે

રાજકોટ તા. રપઃ જૂનાગઢમાં યોજાનાર 'મહાશિવરાત્રિ મેળા' નિમિત્તે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વિશેષ ભાડા સાથે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે રપ, ર૬ અને ર૮ ફેબ્રુઆરી ર૦રપ ના ત્રણ દિવસ માટે 'મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેન' ચલાવવાનું નક્કી કર્યું છે.

જેમાં રાજકોટ-જૂનાગઢ મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે ૧૦-પપ કલાકે ઉપડી જૂનાગઢ બપોરે ૧૩-૦૦ કલાકે પહોંચશે. એ જ રીતે રિટર્નમાં જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રિ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે ૧૩-૪૦ વાગ્યે ઉપડશે અને ૧૭-૦પ વાગ્યે રાજકોટ પહોંચશે.

ઉપરોક્ત ટ્રેનો બન્ને દિશાાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે. અત્રે નોંધનિય છે કે ઉપરોક્ત બન્ને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેનો તરીકે દોડશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh