Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શોભાયાત્રના આયોજન માટે અંતિમ મિટિંગ સંપન્ન થયા પછી ભીડભંજન મંદિર સુધી પદયાત્રા
જામનગર શહેરમાં શોભાયાત્રાના આયોજન અર્થે ગઈકાલે રાત્રે યોજાયેલી શિવ ભક્તોની અંતિમ બેઠક પછી પંચેશ્વર ટાવરથી ભીડભંજન મહાદેવ મંદિર સુધીની ભક્તિ ફેરી યોજાઈ હતી. જેમાં મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસની આગેવાની હેઠળ શહેરના વિવિધ જ્ઞાતિ, સંગઠન, મંડળ, સંસ્થાના કાર્યકરો સહિતના શિવભક્તોની હાજરીમાં ભક્તિ ફેરી યોજાઈ હતી. હર હર મહાદેવના નાદ્ સાથે અને ભગવા ધ્વજ સાથે ભક્તિ ફેરીમાં અનેક શિવભક્તો પગપાળા ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચ્યા હતાં, જ્યાં મંદિરે દર્શન કરીને ફરીથી હર હર મહાદેવના નાદ્ સાથે વાજતે ગાજતે પંચેશ્વર ટાવરે પરત ફર્યા હતાં. જ્યાં પંચેશ્વર ટાવર ચોકમાં વિશાળ કદના ભગવા ધ્વજનું શિવભક્તો દ્વારા ધ્વજારોહણ કરાયું હતું, અને સર્વે શિવભક્તો પર પુષ્પવૃષ્ટિ કરાઈ હતી. આ વેળાએ મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ તેમજ જુદી જુદી સંસ્થાના આગેવાનો, કાર્યકરો, શિવ શોભાયાત્રાના કન્વીનર ધવલભાઈ નાખવા, સહકન્વીનર વ્યોમેશભાઈ લાલ અને ભાર્ગવભાઈ પંડ્યા, ઉપરાંત જીટીપીએલના જયેશભાઈ રૂપારેલિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial