Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદના પગલે વાતાવરણમાં ઠંડકઃ
જામનગર તા. ૧૭: જામનગરમાં વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નહીંવત ઘટીને મહત્તમ તાપમાન ૩૬.૪ ડિગ્રી નોંધાયું હતું.
જામનગરમાં ગોરંભાયેલા આકાશ વચ્ચે છેલ્લા ત્રણથી ચાર દિવસથી ભેજનું પ્રમાણ તથા તાપમાન પણ વધુ રહેતા અસહ્ય બફારો અને આકરા તાપથી પ્રજાજનો પરશેવે રેબઝેબ થઈ ગયા હતાં ઉકળાટથી અકળાઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠયાં હતાં.
જામનગરમાં ગઈકાલે પડેલા હળવા વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ગરમી અને બફારામાંથી મુક્તિ મળતા નગરજનોને રાહત અનુભવી હતી.
નગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન નહીંવત ઘટીને મહત્તમ તાપમાન ૩૬.૪ ડિગ્રી અને ૩.૫ ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા વધીને ૯૬ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૨૫ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial