Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ કંપનીની પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલ
જામનગર તા. ૧૭: જામનગરમાં ગઈકાલે મૌસમના પહેલા વરસાદમાં ચાર છાંટા વરસ્યા હતા ત્યાં જ અડધા ગામમાં વીજ પૂરવઠો ગુલ થઈ ગયો હતો. ત્યારે ખર્ચ કરેલા લાખો રૂપિયા કયાં ખર્ચાયા ? તે અંગે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
પ્રતિ વર્ષ ચોમાસાની મૌસમ પહેલા પીજીવીસીએલ દ્વારા અવાર-નવાર કલાકો સુધી પાવર સપ્લાય બંધ રાખીને મેન્ટનન્સ કામગીરી કરવામાં આવે છે. અને તેના પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં જેનો ઉદેશ્ય એવો હોય છે કે ચોમાસામાં વીજ પુરવઠો યથાવત રીતે જળવાઈ રહે. પરંતુ દર વર્ષે થોડો વરસાદ વરસે ત્યાંજ વીજ પુરવઠો ગાયબ થઈ જતો હોય છે.
આ પરંપરા આ વર્ષ પણ પીજીવીસીએલ દ્વારા જાળવી રાખવામાં આવી હોય તેમ ગઈકાલે રાત્રે જામનગરમાં હળવો વરસાદ વરસ્યો હતો. ત્યાં જ અડધા ગામમાં અંધારા જોવા મળ્યા હતાં. વીજ કચેરીના ટેલીફોન પણ બંધ જોવા મળ્યા હતાં. જયારે ફરિયાદ કયાં અને કોને કરવી ? તે પણ વિચારણીય બન્યુ હતું.
જો કે તાબડતોબ વીજ કચેરીનો મોટો સ્ટાફ કામે લાગ્યો હતો અને વીજ પૂરવઠો પૂર્વવત બનાવ્યો હતો. પરંતુ ચાર છાંટા વરસતા જ વીજ પૂરવઠો ઠપ્પ થઈ જાય તે વાત ગળે ઉતરતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial