Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યોગ ટ્રેનર તરૂણ ગુસાણીના માર્ગદર્શનમાં વિવિધ સ્થળે યોગા કાર્યક્રમ

૧૦૮ સાધક દ્વારા ૧૦૮ સૂર્ય નમસ્કારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: વિશ્વ યોગ દિનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આ ઉજવણીના પૂર્વોત્સવ રૂપે જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ તરૂણભાઈ ગુસાણીના માર્ગદર્શનમાં વિશ્વ યોગ દિન પહેલાના ૩ રવિવારે સામૂહિક સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોજાયા હતાં. ખંભાળિયા હાઈ-વે પર આવેલ વિપુલ ગ્રીન્સ તથા રણમલ તળાવ સંકુલના ગેઈટ નં. ૧ પાસે બે વખત કાર્યક્રમ યોજાયા હતાં. કુલ ૪૭ મિનિટમાં સમય દરમિયાન ૧૦૮ સૂર્ય નમસ્કાર સંપન્ન કરવામાં આવ્યા હતાં.

બહોળી સંખ્યામાં મહિલાઓ સહિત કુલ ૧૦૮ યોગ સાધકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનિય છે કે, તરૂણભાઈ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને બે મહિના પહેલાથી જ યોગ સાધકોને વિશેષ યોગાભ્યાસ કરાવવામાં આવે છે. રણમલ તળાવ સંકુલમાં ગેઈટ નં. ૪ પાસે તરૂણભાઈ પ્રતિદિન સવારે યોગના નિઃશુલ્ક વર્ગ ચલાવે છે.

અત્યાર સુધીમાં હજારો લોકોને યોગાભ્યાસ કરાવી ચૂકેલ તરૂણભાઈ લોકોને યોગ દિનની ઉજવણીમાં જોડાવા તથા દરેક વ્યક્તિને યોગ કરવા અનુરોધ કરે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh